Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ પાલિકા દ્વારા જેસીબી મશીન તથા જનરેટર સેટ વસાવવા કાર્યવાહી શરૂ

પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યની રજૂઆતને વધુ એક સફળતા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા નગરપાલિકાના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન હીનાબેન આચાર્યની મહત્ત્વપૂર્ણ રજૂઆતને વધુ એક સફળતા મળી છે.

ખંભાળીયા ન.પા.ના જુના જે.સી.બી. મશીન અને લોડર મશીન ભંગાર થઈ જતા વેચાઈ ગયા છે. તેથી તે મશીનો ભાડે લેવા પડે છે. આ ઉપરાંત વીજકાપ સમયે જનરેટરની આવશ્યકતા રહે છે.

આથી પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યએ ન.પા.ની અત્યારે આર્થિક સ્થિતિ સદ્ધર થઈ ગઈ હોય જે.સી.બી. મશીન તથા હેવી જનરેટર વસાવવા માંગણી કરી હતી. જે સંદર્ભમાં ન.પા.દ્વારા આ મુદ્દો સામાન્ય સભામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે.

આ મુદ્દે ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા તથા યોગેશભાઈ મોટાણીએ પણ રજૂઆત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh