Advertisement
Author: નોબત સમાચાર

પીપરટોડામાં એક દિવસ માટે બંધ પડેલા મકાનમાં ચોરીઃ પોણા લાખની મત્તા ગઈ

સોનાની બુટી, ચાંદીની લક્કી, રોકડ ચોરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: લાલપુરના પીપરટોડામાં એક મકાનમાં મંગળવારની બપોરથી બુધવારની બપોર દરમિયાન ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ સોના-ચાંદીના દાગીના, રોકડ મળી રૂ.પોણા લાખની મત્તાની ચોરી કરી છે. એક દિવસ માટે બંધ પડેલા આ મકાનમાં દરવાજાનો નકૂચો તોડ્યા પછી તસ્કરોએ પ્રવેશ મેળવ્યો હતો.

લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં વસવાટ કરતા મુકેશભાઈ જેસાભાઈ નકુમ નામના આસામી મંગળવારે બપોરે પોતાના પરિવાર સાથે મકાન બંધ કરીને બહાર ગયા પછી બુધવારે બપોરે પરત આવ્યા તે દરમિયાન તેમના મકાનમાં ચોરી થઈ ગઈ છે.

તેમના મકાનની દીવાલ કૂદીને ઘૂસેલા કોઈ તસ્કરોએ ઓસરીમાં રહેલા દરવાજાનો નકૂચો તોડી પ્રવેશ મેળવ્યા પછી અંદર રહેલા કબાટનો લોક પણ તોડી નાખી તેમાંથી રૂ.૩૦ હજાર રોકડા, ત્રણ ગ્રામની સોનાની બુટી, ચાંદીની લકકી, ત્રણ જોડી પાયલ મળી કુલ રૂ.૭૪૨૦૦ની મત્તાની ચોરી કરી હતી.

આ બાબતની બુધવારે બપોરે ઘેર આવેલા મુકેશભાઈને જાણ થયા પછી તેઓએ ગઈકાલે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ કે.એલ. ગળચરે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh