Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉછીના પૈસા લઈ કરાર કરી આપ્યો હતોઃ
જામનગર તા. ૮: જામનગરના એક આસામી પાસેથી જીઈબીમાં ફરજ બજાવતા કર્મચારીએ હાથઉછીની લીધેલી રકમ સામે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા ચેકની રકમનું વળતર ચૂકવી આપવા આદેશ કર્યાે છે.
જામનગરના અભયરાજ સિંહ રામભા વાળા નામના આસામી પાસેથી જીઈબીમાં ફરજ બજાવતા નિરવ હર્ષદકુમાર શાહે હાથઉછીના રૂા.૬ લાખ મેળવ્યા હતા. જેમાં રૂા.૪ લાખ બેંક મારફત અને રૂા.૨ લાખ રોકડા હાથઉછીના અપાયા હતા. રકમ મેળવતી વખતે નિરવ શાહે કરાર કરી આપ્યો હતો અને ચેક આપ્યો હતો.
આ ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા અભયરાજસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નિરવ હર્ષદકુમાર શાહને તક્સીરવાન ઠરાવી એક વર્ષની સજા અને રૂા.૬ લાખ ચૂકવવા હુકમ કર્યાે છે. ફરિયાદી અભયરાજસિંહ રામભા વાળા તરફે વકીલ ક્રિપાલસિંહ આર. જાડેજા, કુલદીપસિંહ પી. ચૌહાણ, નાસીરખાન લોહાની રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial