Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટૂંપણીમાં યુવકે કરી લીધી આત્મહત્યાઃ
જામનગર તા. ૨૪ઃ કાલાવડના પાદરે આવેલી આઈટીઆઈ પાસે ઝૂંપડામાં વસવાટ કરતા એક દેવીપુજક યુવાને કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે દ્વારકા નજીકના ટુંપણીમાં એક યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ આરંભી છે.
કાલાવડ શહેરમાં આઈટીઆઈ નજીક રાજસ્થાન માર્બલ પાસે ઝૂંપડામાં વસવાટ કરતા સંજયભાઈ રાયધનભાઈ વાઘેલા નામના છવ્વીસ વર્ષના દેવીપુજક યુવાને ગઈકાલે બપોરે કોઈ અગમ્ય કારણથી ઝૂંપડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પરિવારજનોએ સંજયભાઈને સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા જ્યાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું દિલીપભાઈ વાઘેલાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. પોલીસે તેઓનું નિવેદન નોંધી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા ટુંપણી ગામમાં વસવાટ કરતા મેસુરભાઈ રામદેભાઈ પોપાણીયા (ઉ.વ.૨૯) નામના યુવાને સોમવારે રાત્રે પોતાના મકાનના ઉપરના ઓરડામાં જઈ અંદર રહેલા એક પાઈપમાં દોરડું બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં મેરગભાઈ રામદેભાઈએ પોલીસને વાકેફ કરી છે. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial