Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોધપુર-ઉપાધ્યાયના વૃદ્ધાને હૃદયરોગનો હુમલોઃ
જામનગર તા. ૨૦: કાલાવડ તાલુકાના પીપર ગામના એક વૃદ્ધ લાકડીના ટેકે ચાલતી વખતે પડી ગયા પછી બેશુદ્ધ બન્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમના પુત્રએ પોલીસને જાણ કરી છે. પુત્ર સાથે ખરીદી કરવા જતાં કલ્યાણપુરના જોધપુર ઉપાધ્યાય ગામના વૃદ્ધાને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
કાલાવડ તાલુકાના પીપર ગામમાં વસવાટ કરતા બટુકભાઈ વેલાભાઈ રાંક નામના બોતેર વર્ષના વૃદ્ધ શનિવારે રાત્રે પોતાના ઘરે ઓરડામાંથી લાકડીના ટેકે ચા લઈને બહાર આવતી વખતે કોઈ રીતે પડી જતા બેભાન બની ગયા હતા. સારવાર માટે કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર અતુલભાઈ રાંકે પોલીસને જાણ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્યાય ગામમાં રહેતા મોંઘીબેન નાથાભાઈ સોનગરા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધા ગયા મંગળવારે ખરીદી માટે પુત્ર માધાભાઈ સાથે ભાટીયા આવ્યા હતા. તેઓને ભાટીયાના રેલવે સ્ટેશન રોડ પર હૃદયરોગનો હુમલો આવતા મોંઘીબેન ઢળી પડ્યા હતા. ખંભાળિયાની હોસ્પિટલમાં લઈ જવાયેલા આ વૃદ્ધાને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. માધાભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial