Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઓશવાળ સેન્ટરમાં તા. ૨૩મી સપ્ટેમ્બરે મેગા સર્વરોગ નિદાન કેમ્પ-રક્તદાન શિબિર યોજાશે

વડાપ્રધાન જન્મદિન પખવાડિયું તથા સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર તા. ૨૩-૯-૨૫ને મંગળવારે સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા દરમ્યાન ઓશવાળ સેન્ટર, જામનગરમાં યોજવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડિયાના ભાગરૃપે અને સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં નિષ્ણાત ડોકટરો દ્વારા રોગનું નિદાન કરી જરૃરી દવા વિનામૂલ્યે આપવામાં આવશે. જનતાને આ રોગ નિદાન કેમ્પનો લાભ લેવા તેમજ રક્તદાન શિબિરમાં સહભાગી થવા નિમંત્રક સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh