Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ રેલવે ડિવિઝનમાં 'સ્વચ્છતા પખવાડિયું' અંતર્ગત શ્રમદાન-જનજાગૃતિ

મહાત્મા ગાંધીની જયંતીના અવસર પર

                                                                                                                                                                                                      

રાજકોટ તા.૧૦: મહાત્મા ગાંધીની જયંતીના અવસર પર પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનમાં ૦૨ ઑક્ટોબર ૨૦૨૫ ના 'સ્વચ્છતા પખવાડિયું  ૨૦૨૫' હેઠળ શ્રમદાન અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડિવિઝનના ૬૭ સ્થળો પર લગભગ ૮૬૫ કર્મચારીઓએ સક્રિય ભાગીદારી કરીને સ્વચ્છતાને જન-અભિયાનનું સ્વરૂપ આપ્યું. વિવિધ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યસ્થળો તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો.

રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આ પહેલને પ્રશંસનીય ગણાવી અને તેને સ્વચ્છતા અભિયાનને જન-આંદોલન બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું જણાવ્યું.

આ અવસર પર સુરેન્દ્રનગર, દ્વારકા અને જામનગર સ્ટેશનો પર મુસાફરોને સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ રાજકોટ સ્ટેશન પર બાયો-ટોયલેટ મોડેલ પ્રદર્શિત કરીને તેના મહત્ત્વથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.

આ પ્રવૃત્તિઓએ કર્મચારીઓ અને મુસાફરોમાં સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીને વધુ મજબૂત બનાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh