Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સ્વદેશી મેળામાં ખાખરાના વેંચાણથી મંજુલાબેનને દૈનિક રૂપિયા સતર હજારની આવક

વિવિધ ૧પ ફ્લેવર્સના ખાખરાના વેંચાણની આવકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશી મેળામાં મંજુલાબેન નામના મહિલા વિવિધ ૧પ ફ્લેવર્સના ખાખરા વહેંચી સારી આવક મેળવી રહ્યા છે.

ચિખલિયા મંજુલાબેન જણાવે છે કે, રિદ્ધિ-સિદ્ધિ સખી મંડળના પ્રમુખ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તેઓ ૧૪ વર્ષથી ખાખરા ઉદ્યોગ ચલાવી રહ્યા છે. વિવિધ ૧પ ફ્લેવર્સના ખાખરા જેમાં તેઓ આદુ-મરચા, પિત્ઝા, પાનીપુરી, મેથી મસાલા, કોથમીર, સરગવો, ચાટમસાલા જેવા ફ્લેવર્સના ખાખરા બનાવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વેશી ચીજવસ્તુઓનું વેંચાણ વધારવાના હેતુથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, અને જમવાનું પણ ફ્રીમાં આપે છે. આ સ્વદેશી મેળામાં બહોળી સંખ્યામાં લોકો મુલાકાત લે છે. આ સ્ટોલ પરથી તેઓ ખાખરાનું વેંચાણ કરીને દૈનિક રૂ. ૧પ હજારથી ૧૭ હજારની આવક મેળવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh