Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ રીતે પગમાં વાયર વીંટાઈ ગયોઃ
જામનગર તા. ૮: જામનગરના સચાણા ગામમાં શુક્રવારે રાત્રે પોતાના ખેતરે ગયેલા એક ખેડૂતનું કોઈ રીતે વાડીના શેઢે રાખવામાં આવેલા વીજ કનેકશનના વાયરમાં પગ આવી ગયા પછી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે.
જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા શબ્બીર જાનમામદ લાખા નામના ૪૫ વર્ષના યુવાન શુક્રવારે રાત્રે સાડા નવેક વાગ્યે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા પછી શનિવારે સવારે ઘરે પરત ફર્યા ન હતા. તેથી ચિંતાતુર બનેલા તેમના પરિવારજનોએ મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શબ્બીરભાઈનો ફોન રિસીવ થતો ન હતો. તેથી પરિવારજનો શબ્બીરભાઈની શોધખોળ માટે ખેતરે આવ્યા ત્યારે ખેતરના શેઢા પાસે શબ્બીરભાઈ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓના પગમાં ઈલેક્ટ્રીકનો વાયર વીંટાયેલો જોવા મળ્યો હતો. તેઓના ખેતરના શેઢે લેમ્પ સળગાવવા માટે આપવામાં આવેલા વીજ કનેક્શનના વાયરમાં તેઓનો પગ વીંટાઈ ગયા પછી તેઓનું વીજ આંચકો લાગવાથી મૃત્યુ નીપજ્યાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પંચકોશી એ ડિવિઝન પોલીસે મૃતકના નાનાભાઈ હાસમભાઇ જાનમામદ લાખાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial