Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાદીનો દાવો નામંજૂર કરવામાં આવ્યોઃ
જામનગર તા. ૧૬: જામનગરના જૂના નાગનામાં આવેલી ખેતીની એક જમીન અંગે વારસાઈ એન્ટ્રી દાખલ થઈ હતી. તેની સામે વાંધો લેવાતા વારસાઈ નોંધ નામંજૂર થઈ હતી. તે હુકમ સામે કલેકટરમાં અરજી થતાં કલેક્ટરે રીવીઝન અંશતઃ મંજૂર કરી હતી. તે હુકમ સામે અદાલતમાં દાવો કરાતા અદાલતે દાવો નામંજૂર કર્યાે છે.
જામનગર તાલુકાના જૂના નાગના ગામના ખેડૂત અને ગુજરનાર આંબાભાઈ ભીમાભાઈ કટેશીયા વગેરેએ ખેડૂત ખાતા નં.૧૫૦થી રે.સ.નં.૩૦૬માં આવેલી ખેતીની જમીનમાં ગોવિંદ લાધાભાઈ નકુમ વગેરેની પાડવામાં આવેલી વારસાઈ એન્ટ્રી સામે રણછોડભાઈ આણંદભાઈ કટેશીયાએ વાંધો લીધો હતો.
પ્રાંત અધિકારીએ વાંધા અરજી ગ્રાહ્ય રાખી વારસાઈ નોંધ નામંજૂર કરી હતી. ગોવિંદ લાધાભાઈ વગેરેએ તેની સામે કલેકટર કોર્ટમાં રીવીઝન કેસ કર્યાે હતો. કલેક્ટરે રીવીઝન અંશતઃ મંજૂર કરી પ્રાંત અધિકારી સમક્ષ કેસ રિમાન્ડ કર્યાે હતો. તેથી નારાજ પક્ષકારોએ રાજ્યના મહેસૂલ વિભાગના સચિવ સમક્ષ અરજી કરવાની બદલે જામનગરની દીવાની અદાલતમાં દાવો કર્યાે હતો.
તે દાવા અન્વયે ગોવિંદભાઈ લાધાભાઈ વગેરે તરફથી હાજર થયેલા વકીલે રજૂઆતો કરી હતી. તેને ગ્રાહ્ય રાખી અદાલતે વાદીનો દાવો નામંજૂર કર્યાે છે. પ્રતિવાદી ગોવિંદભાઈ તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial