Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા મહિના પહેલાં એસીબીએ નોંધ્યો હતો ગુન્હોઃ
જામનગર તા. ૫: જામનગરની એસીબીએ થોડા મહિના પહેલાં લાંચ અંગેના નોંધેલા એક ગુન્હામાં ઉદ્યોગનગર પોલીસચોકીના પીએસઆઈ તથા રાઈટરની ધરપકડ કરાઈ હતી. તેનું ચાર્જશીટ થયા પછી અદાલતમાં પીએસઆઈ તથા રાઈટરે જામીનમુક્ત થવા અરજી કરી હતી. તે બંને અરજી અદાલતે નામંજૂર રાખી છે.
જામનગરના એક આસામી સામે થોડા મહિના પહેલાં પોલીસમાં અરજી થઈ હતી. તેની તપાસ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ઉદ્યોગનગર પોલીસચોકી પાસે હતી. તે પછી આ પોલીસ ચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા રાઈટર ધર્મેશ મોરી વતી એસઓજીના કર્મચારી રવિ શર્મા રૂ.૧ લાખની લાંચ માંગતા હોવાની લાંચ-રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે ફરિયાદના અનુસંધાને એસીબીએ છટકુ ગોઠવી એસઓજી પોલીસકર્મી રવિ શર્માને રકમ સ્વીકારતો પકડી લીધો હતો. તે પછી પીએસઆઈ રવિરાજસિંહ દેવેન્દ્રસિંહ ગોહિલ તથા રાઈટર ધર્મેશ બટુકભાઈ મોરીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગુન્હા અંગે થોડા દિવસ પહેલાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
તે પછી આરોપી પૈકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ અને રાઈટર ધર્મેશ મોરીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે એડી. પીપી હેમેન્દ્ર મહેતાની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial