Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલીયા પરિવારના ધર્મોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર અને મહાનુભાવોની ઉપસ્થિતિઃ
'છોટીકાશી' જામનગરમાં 'શિવધામ' પટેલ વાડી, સરલાબેન આવાસ સામે, પોલીસ હેડક્વાર્ટર પાછળ, સરૂ સેક્શન રોડ જામનગરમાં જેન્તીભાઇ નાથાભાઈ ફલીયા તથા પુષ્પાબેન નાથાભાઈ ફલીયા પરિવાર દ્વારા 'રાધે રાધે' તરીકે પ્રખ્યાત કથાકાર જિગ્નેશ દાદાનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાનાં ચોથા દિને લાભ પાંચમનાં શુભ અવસરે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શ્રોતાઓ માટે પંડાલ ટૂંકો પડે એટલી સંખ્યામાં મેદની ઉમટી હતી. આ ઉપરાંત ડો. કે. એસ. મહેશ્વરી, ડો. એમ.કે.ફલીયા,ડો.તુષાર શિંગાળા, ડો. હિમાંશુ પેશાવરીયા, ભાગવતાચાર્ય ડો. અમૃતલાલ ભોગાયતા, અખિલ ગુજરાત લોહાણા સમાજનાં પ્રમુખ જીતુભાઇ લાલ, જાડાનાં પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા, દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, શાંતિભાઈ કનખરા, વસંતભાઈ કટારીયા, એડવોકેટ મિહિરભાઇ નંદા, મનસુખભાઇ કનખરા, મેહુલભાઇ કાનાણી, દેવશીભાઇ ચેતરીયા, મધુભાઇ ચોવટીયા, જોબનપુત્રા પરિવાર વગેરે પણ જિગ્નેશ દાદાની મધુર વાણીમાં કથાનું રસપાન કર્યુ હતું.
કથાનાં ચોથા દિને કૃષ્ણ જન્મોત્સવ (નંદ મહોત્સવ) ની ઉજવણી સાથે જ વામન જન્મ અને શ્રી રામ જન્મની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ પ્રસંગોને અનુરૂપ કલાકારોએ અવતારનાં રૂપમાં આકર્ષણ જગાવ્યું હતું. આયોજક પરિવાર દ્વારા વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જયભાઈ ફલીયા તથા હિતેશભાઇ ફલીયા તથા તેમની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સુદર સંકલન કરવામાં આવ્યું હતું.
કથામાં ૧૫ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. પ્રતિદિન હજારો શ્રોતાઓ કથા શ્રવણ તથા મહાપ્રસાદનો લાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી રહૃાા છે ત્યારે આ સમગ્ર આયોજન ધર્મનગરીમાં યાદગાર અને સીમાચિહ્નરૂપ ધર્મોત્સવ બની રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial