Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિર પરિસરમાં ગઠીયો કળા કરી ગયોઃ
જામનગર તા. ૧૯: દ્વારકા જિલ્લાના નાગેશ્વર મંદિરમાં દર્શન માટે ગયેલા એક મહિલાનું રૂા.૭૦ હજારનું મંગળસૂત્ર કોઈ તસ્કરે સરકાવી લીધુ હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરમાં ગોકુલનગર મારૂતીનગર શેરી નં.૧માં રહેતા હીરાભાઈ નાથાભાઈ નકુમ, તેમના પત્ની જેઠીબેન વગેરે ગત તા.૧પ ઓગસ્ટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના નાગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન માટે ગયા હતા. ત્યારે મંદિરમાં ભીડનો લાભ લઈને કોઈ શખ્સો જેઠીબેનનું રૂા.૭૦ હજારની કિંમતનું ત્રણ તોલાનું મંગળસૂત્ર ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે હીરાભાઈ નકુમે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial