Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના બેહ ગામમાં મોડીરાત્રે વીજ આંચકો લાગતા યુવાનનું મૃત્યુ

થાંભલાના જમ્પરમાં શોર્ટ સર્કીટથી દુર્ઘટનાનું અનુમાનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૪: ખંભાળિયાના બેહ ગામમાં એક ખેતરે બુધવારે રાત્રે રખોલુ રાખવા ગયેલા યુવાનનંુ કોઈ રીતે વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. જે ખેતરમાં થાંભલામાંથી વીજ આંચકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે તેમાં અવારનવાર શોર્ટ સર્કીટ થતું હતું. સમારકામ તાકીદે ન કરાતા આ યુવાનની જિંદગી છીનવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ખંભાળિયા તાલુકાના બેહ ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા નાયાભાઈ પતાણી નામના ગઢવી પ્રૌઢનો ચોવીસ વર્ષનો પુત્ર સાજણભાઈ બુધવારે રાત્રે બેહ ગામના રાણસુરભાઈ નામના ખેડૂતના ખેતરમાં રખોલુ રાખવા માટે ગયા હતા.

આ યુવાન સવારે સાત વાગ્યે તે ખેતરમાં એક થાંભલા નજીકથી ભડથું થયેલી હાલતમાં મળી આવ્યા છે. આ યુવાનનું રાત્રિના દસ વાગ્યાથી સવાર સુધીમાં કોઈ રીતે વીજ શોર્ટ લાગતા મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. તેમના મોટાભાઈ કાયાભાઈ પતાણીએ પોલીસને જાણ કરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ નાયાભાઈને ત્રણ પુત્ર છે જેમાંથી સાજણભાઈ બીજા નંબરના દીકરા હતા. આ અપરિણીત યુવાનના અકાળે મૃત્યુથી ગઢવી સમાજમાં દુખની લાગણી પ્રસરી છે. ત્યાં ખેતરમાં આવેલા થાંભલાના જંપરમાં અવારનવાર શોર્ટ સર્કીટ થતું હતું અને તેની જાણ વીજ કચેરીને પણ કરવામાં આવી હતી પરંતુ સમારકામ માટે લક્ષ આપવામાં ન આવતા આ યુવાનની જિંદગી છીનવાઈ ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh