Advertisement
Author: નોબત સમાચાર

સરકારી શાળાઓમાં મેદાન નથી, ચિત્ર-વ્યાયામ- સંગીત શિક્ષક જ નથીઃ આમાં 'બેગલેસ ડે' કેમ ઉજવાશે?

રાજ્ય સરકારે આદેશ તો કરી નાખ્યો પણ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. પઃ ગુજરાત રાજ્યમાં નવી શિક્ષણ નીતિ ર૦રર નો ધીમે ધીમે અમલ થઈ રહ્યો છે. તેના ભાગ રૂપે તાજેતરમાં શનિવારે 'બેગલેસ ડે'નો અમલ કરીને દક્તર વગર છાત્રોને શાળાએ આવવા તથા ઈત્તર પ્રવૃત્તિ શિક્ષણ સિવાયની કરવા આદેશ તો સરકારે કર્યો પણ તેનો અમલ કેમ થશે તે મોટો પ્રશ્ન છે.

'બેગલેસ ડે'માં વિવિધ પ્રવૃત્તિઓ કરવા આયોજન જાહેર થયું છે. જેમાં યોગ, માસ ડ્રીલ, બાલસભા, શૈક્ષણિક રમતો, સંગીત ચિત્ર, ખેતિકામ, બાગકામ વિગેરેનો સમાવેશ થાય છે, પરંતુ વર્ષોથી શાળાઓમાં વ્યાયામ શિક્ષક તથા ચિત્ર અને સંગીતના શિક્ષકોની નિમણૂકો જ થઈ નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. ૧૦ મા શારીરિક શિક્ષણ વિષય તો છે, પણ ૧૬ વર્ષથી આ વિષયના શિક્ષકોની ભરતી જ થઈ નથી.

શહેરોમાં જોઈએ તો દ્વારકા જિલ્લા સહિત મોટાભાગની શહેરોની શાળાઓમાં મોટા મેદાનો જ નથી. ક્યાંક તો શહેરના ગીચ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર બિલ્ડીંગો જ છે, મેદાન છે જ નહીં. ત્યાં માસ પી.ટી. કે સામૂહિક કાર્યક્રમો ક્યાંથી થાય? ચિત્ર, સંગીત, વ્યાયામ શિક્ષક તો વર્ષોથી પ્રાથમિક શાળાઓમાં ભરતી જ નથી થયા તો આ પ્રવૃત્તિ કોણ કરાવે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh