Advertisement
Author: નોબત સમાચાર

રામનગરમાં યુવાનને વીજ આંચકો

મોટરનો પ્લગ ચઢાવતી વેળા મોત મળ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: ખંભાળિયાના રામનગરમાં પાણીની મોટર ચાલુ કરવા જતી વખતે પ્લગ ભરાવતા જ એક યુવાનને વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

ખંભાળિયા નજીકના રામનગર ગામમાં રહેતા શ્યામભાઈ રસીકભાઈ કણઝારીયા (ઉ.વ.ર૬) નામના સતવારા યુવાન સોમવારે સાંજે પોતાના ઘરે પાણીની ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયા હતા.

આ વેળાએ મોટરનો પ્લગ ત્યાં આવેલા ઈલેકટ્રીક બોર્ડમાં ભરાવવા જતા શ્યામભાઈને વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ સંદીપભાઈ કણઝારીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh