Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં વીજચોરીના આક્ષેપમાં એક આસામીને ત્રણ વર્ષની કેદની સજા

રૂ.ર.૮૯ લાખનો દંડ ભરવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં આરાધના કોલોનીમાંથી પોણા બે વર્ષ પહેલાં એક મકાનમાં વીજચોરી ઝડપાઈ હતી. તે આસામી સામેનો ફોજદારી કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદ અને રૂ.૨.૮૯ લાખનો દંડ ભરવા હુકમ કર્યાે છે.

ખંભાળિયા શહેરના સંજયનગર વિસ્તારમાં આવેલી આરાધના કોલોનીમાં ગઈ તા.૧૭-૧૦-ર૩ના દિને વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ હાથ ધરેલા ચેકીંગમાં હેમતભાઈ ભાયાભાઈ ગોજીયા નામના આસામીના મકાનમાં ચકાસણી કરતા આ આસામી વીજ ગ્રાહક ન હોવા છતાં પોતાના ઘરની બાજુમાં આવેલા થાંભલામાંથી સર્વિસ વાયર ખેંચી પોતાના મકાનમાં વીજળી વાપરતો મળી આવ્યો હતો.

આ શખ્સ સામે રૂ.૪૮૨૪૬ની વીજચોરીનો આક્ષેપ મૂકી ફોજદારી ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરોક્ત કેસ ખંભાળિયાની ખાસ વીજળી અંગેની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી ત્રણ વર્ષની સખત કેદની સજા અને વીજચોરીની રકમનો છ ગળો દંડ ભરવા હુકમ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh