Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર દ્વારા
જામનગર તા. ૧૧: ધો. ૧ થી ૧૨, ગ્રેજ્યુએટના કુલ ૨૬૦ તેજસ્વી તારલાઓનું બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર દ્વારા સન્માન કરવામાં આવશે. જેમાં સમસ્ત બ્રહ્મસમાજ, જામનગર શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ માટે ચોથા વર્ષે સરસ્વતી સન્માન કાર્યક્રમ બ્રહ્મદેવ સમાજ જામનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. ૧૩-૭-૨૫ ના સાંજે ૫:૩૦ વાગ્યે, એસ.બી.શર્મા વર્લ્ડ સ્કૂલ, મેહુલનગર ૮૦ફૂટ રોડ, જામનગરમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ તથા વાલીઓ, બ્રહ્મસમાજના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા બ્રહ્મદેવ સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજક સંસ્થાના મીડિયા વિભાગ અધ્યક્ષ સચિન જોશીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial