Advertisement
Author: નોબત સમાચાર

સવારે બહારગામ જવાનું પુત્રએ કહેતા માતાએ ટ્રેન આડે ઝંપલાવ્યું: ઓખામઢીમાં સિક્કાના વેપારીની આત્મહત્યા

મીઠાઈના જાણીતા વેપારીના આત્મહત્યા કેસમાં ભત્રીજાનું નોંધાયું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ઓખામઢીમાં રહેતા એક વૃદ્ધાને તેમના પુત્રએ રાત્રિના બદલે સવારે રાવલ જવાનું કહેતા તામસી મગજના આ વૃદ્ધાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જ્યારે જામનગરના સિક્કાના એક યુવાને ઓખાની નવી બજારમાં રહેતા પોતાના મોટાભાઈના ઘેર જઈ કોઈ ઝેરી પ્રવાહી પી જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે ગઈકાલે જામનગરમાં આત્મહત્યા કરી લેનાર મીઠાઈના જાણીતા વેપારીના ભત્રીજાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. આ વેપારીએ પત્નીના અવસાન પછી એકલવાયાપણું અનુભવી આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ મળ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢીમાં રહેતા સંતોકબેન અરજણભાઈ પરમાર નામના પાંસઠ વર્ષના કોળી વૃદ્ધાએ ગઈકાલે સવારે પોતાના ઘરેથી નીકળી જઈને નવી મઢીથી આગળ એક હોટલ પાછળ આવેલા રેલવે ટ્રેક પર જઈ ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુ હતું. આ વૃદ્ધાનું ટ્રેનના તોતિંગ એન્જીનની ટક્કર વાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પુત્ર ટપુભાઈ પરમારનું નિવેદન નોંધ્યું છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ તામસી મગજ ધરાવતા સંતોકબેને પોતાના પુત્રને રાવલ ગામ જવું છે તેમ બુધવારની રાત્રે રહેતા ટપુભાઈએ સવારે જવાનું કહ્યું હતું તેથી લાગી આવતા તેમના માતાએ આત્મહત્યા કરી લીધી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં વસવાટ કરતા સંજયભાઈ લક્ષ્મણદાસ દુદાણી નામના પ્રૌઢ બુધવારે ઓખાની નવી બજારમાં રહેતા પોતાના મોટાભાઈ જયેશભાઈના ઘેર આવ્યા હતા. જ્યાં સંજયભાઈએ કોઈ અકળ કારણથી ઝેરી પ્રવાહી પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જયેશભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગરના માંડવી ટાવર રોડ પર સેન્ટ્રલ બેંકની મુખ્ય શાખા સામે ભટ્ટ ફળીમાં રહેતા અને સેન્ટ્રલ બેંકની પાછળ એચ.જે. વ્યાસ નામની મીઠાઈની જાણીતી દુકાન ચલાવતા જયંતભાઈ હીરાલાલ વ્યાસ નામના વિપ્ર વૃદ્ધે ગઈકાલે સવારે નાગેશ્વરમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીકના બાલનાથ મહાદેવ મંદિરમાં પોતાના પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પોતાના પર જ ફાયરીંગ કરી આત્મહત્યા કરી લીધી હતી.

તેઓની પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ જાતે જ આત્મહત્યા કરતા હોવાનું અને કોઈ વ્યક્તિ જવાબદાર ન હોવાનું જણાવ્યું છે. પોલીસે તેમના ભત્રીજા પરાગભાઈ ભાલચંદ્ર વ્યાસનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ગયા વર્ષે જયંતભાઈના પત્ની બાઈક પરથી પડી જતાં તેઓનો ગોળો ભાંગી ગયો હતો. ત્યારપછી સારવાર અપાવવામાં આવી હતી. તેમ છતાં જયંભાઈના પત્નીનું અવસાન થયું હતું. પત્નીના નિધન પછી ગુમસુમ રહેતા જયંતભાઈએ ગઈકાલે આત્મહત્યા કરી લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh