Advertisement
Author: નોબત સમાચાર

જગત મંદિરમાં એનએસજીની ટીમે સુરક્ષા વ્યવસ્થા ચકાસી

દ્વારકા પાકિસ્તાનના હીટલિસ્ટમાં: ૧૯૬૫માં બોમ્બવર્ષા થઈ હતી

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪: યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરની સુરક્ષા માટે એનએસજીની ટીમે મંદિરની અંદર તથા બહારના ભાગની સુરક્ષાનું નિરીક્ષણ કર્યુ હતું.

યાત્રાધામ દ્વારકાએ પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનના હરહંમેશ હીટલીસ્ટમાં રહ્યું છે અને ભૂતકાળમાં અહીં પાકિસ્તાને બોમ્બાર્ડીંગ પણ ૧૯૬૫ની સાલમાં કરેલ હોય સુરક્ષાના કારણોસર દ્વારકાધીશ મંદિરને ઝેડ કેટેગરીની સુવિધા પ્રાપ્ત છે. આમ છતાં છેલ્લા વર્ષોમાં વખતોવખત સુરક્ષામાં છીંડા હોવા અંગે અખબારોમાં અહેવાલો આવ્યા હોય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કાજે એનએસજી કમાન્ડોની ટીમને મોકલવામાં આવી છે. જેમના દ્વારા જગતમંદિરના પ્રવેશદ્વારો તેમજ ભાવિકોની સુરક્ષા ઈત્યાદિ માટેની ઉપલબ્ધ સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી.

આગામી સમયમાં શ્રાવણ માસ, જન્માષ્ટમી ઈત્યાદિ શ્રેણીબદ્ધ તહેવારોની સિઝન આવી રહી હોય જગતમંદિરમાં તહેવારોમાં સવિશેષ ભીડ રહેતી હોય સરકાર વધુ સજાગ બની હોય એનએસજી કમાન્ડોની ટીમે જગતમંદિરની મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh