Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ૪૮૬ મા સ્થાપના દિવસની આજે મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે મહાનુભાવોના હસ્તે ખાંભી પૂજન પછી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાજવી પિવારની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. જામનગરનો આજે ૪૮૬ મો સ્થાપના દિવસ છે. સૌ પ્રથમ દરબારગઢ વિસ્તારની દુકાનમાં આવેલ ખાંભીના પૂજનનો કાર્યક્રમ મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા, કમિશનર ડી.એન. મોદી, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, ભાજ૫ મહામંત્રી મેરામણ ભાટુ, કોર્પોરેટરો વિગેરે જોડાયા હતાં. આ પછી રાજવી પરિવારની પ્રતિમાઓને ફૂલહાર કરી તેમને વંદન કર્યા હતાં. આ કાર્યક્રમમાં અધિકારી, પદાધિકારી, કોર્પોરેટરો વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial