Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાપક્ષે પણ નોંધાવી વળતી ફરિયાદઃ
જામનગર તા. ૩: ઓખાના પોસીત્રામાં મંદિર પાસે દારૂ વેચવાના પ્રશ્ને એક યુવાન પર બે મહિલાએ લાકડીથી હુમલો કરી લૂંટ ચલાવ્યાની અને હડધૂત કર્યાની ફરિયાદ થઈ છે. સામાપક્ષે પણ માર માર્યાની, લૂંટ્યાની ફરિયાદ કરી છે.
ઓખામંડળમાં આવેલા પોસીત્રામાં વસવાટ કરતા મુરાભાઈ પાલાભાઈ પરમાર નામના યુવાને એક મંદિર નજીક દારૂ વેચી રહેલા અનિલ નામના શખ્સને ટપારતા બોલાચાલી થઈ હતી.
ત્યારપછી મુરાભાઈ પર રાણીબેન તથા ગીતાબેને લાકડીથી હુમલો કરી રૂા.૩૫૦૦ લૂંટી લઈ જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. આ ફરિયાદની સામે ગીતાબેને પણ હુમલો કરી રૂા.૧ હજારની લૂંટ ચલાવવા અંગે મુરાભાઈ પરમાર સામે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial