Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    આમઆદમી પાર્ટીનું દ્વારકાના જિલ્લાતંત્રને આવેદનઃ
દ્વારકા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં પડેલા કમોસમી વરસાદથી થયેલ નુકસાની અંગે ખેડૂતોને સહાય અંગે આમઆદમી પાર્ટી દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં પડેલ માવઠાના વરસાદથી વ્યાપક નુકસાન ખાસ કરીને જિલ્લાના ખંભાળીયા, કલ્યાણપુર તથા ભાણવડ વિસ્તારમાં થયું હોય, ચોમાસુ પાક તૈયાર થવાની સ્થિતિમાં છે તે માવઠાના વરસાદથી નિષ્ફળ જવા સાથે ઘાસચારાનો પણ નાશ થયો હોય, આમઆદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર જિલ્લા વહીવટી તંત્રને આપ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં માવઠાને લીધે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું હોય, મગફળી, કપાસ સહિતના પાકો નિષ્ફળ પામ્યા હોય, મગફળી ઉગી જવી, પલળી જવી, નાશ થવો, મગફળીના પાથરાને નુકસાની, ઘાસચારાનો નાશ થઈ ગયો હોય, સરકારની ધિરાણ યોજનામાંથી મળવેલ પાકધિરાણ સંપૂર્ણ માફ કરવા તથા એક હેકટર દીઠ એક લાખ રૂપિયાની સહાય સમગ્ર જિલ્લામાં તાકીદે આપવાની માંગ કરવામાં આવી છે. શિયાળુ પાક માટે વાવેતર કરી શકાય તે હેતુ જેમણે ધિરાણ નથી લીધું તેમને પણ સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. ખેડૂતોને બચાવવા, ખેતીની નુકસાનીમાંથી ઉગારવા સરકાર દ્વારા સર્વે કરવાના બદલે પડેલ વરસાદના આંકડા પરથી જ હવામાન ખાતા પાસેથી વિગતો મેળવી તુરંત સહાયની રકમ આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial