Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાને ૨૪ કલાકનું અલ્ટીમેટમ અપાયું:
જામનગર તા. ૧૫: જામનગરમાં ગોકુલનગર વિસ્તારની સફાઈ સહિતની સમસ્યાઓ ને વાચા આપવા બહેનો રસ્તા પર ઉતર્યા હતા. અને દેેખાવો કર્યા હતા. અને મહાનગરપાલિકાને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહી આવે તો વિસાવદરવાળી કરવાની ચિમકી પણ આપી હતી. શહેરના ગોકુલનગર વિસ્તારમાં રસ્તામાં ખાડા પડ્યા છે, કચરાના ગંજ ખડકાયા છે, પરંતુ સફાઈ કામગીરી કરાતી નથી. મરેલ ઢોર-પશુ ઉપાડવામાં આવતા નથી આવી અનેક સમસ્યાથી આ વિસ્તારના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ પ્રશ્નને ઉજાગર કરી સત્તાધિશોને જાગૃત કરવા માટે બહેનો રોડ ઉપર ઉતર્યા હતા, અને પ્રદર્શન કરી મહાનગરપાલિકાને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો વિસાવદરવાળી કરવા ચિમકી પણ આપી હતી. હવે તો શું પગલા લેવાય તે જોવાનું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial