Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશાદિપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગ રાસોત્સવઃ
જામનગર તા. ૨૯: જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ સામે લો કોલેજનાં ગ્રાઉન્ડમાં યોજાતી સહિયર નવરાત્રિમાં શ્રી આશાદિપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટનાં ઉપક્રમે ચોથા નોરતે દિવ્યાંગો માટે ખાસ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે 'આશાદિપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ' નાં હોદ્દેદારો તથા 'સહિયર' નવરાત્રિનાં પ્રણેતા રીટાબેન સંજયભાઇ જાની અને તેમની ટીમ દ્વારા તમામ સંકલન કરી દિવ્યાંગો વિશાળ એરીનામાં મન મૂકી ગરબે ઘૂમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિવિધ ગરબે રમી દિવ્યાંગોએ પણ સામાન્ય ખેલૈયાઓની જેમ નવરાત્રિનો લ્હાવો લીધો હતો. કેટલાક દિવ્યાંગોએ પોતાની આગવી અદાઓથી ગરબા લઇ પોતાની ખામી ને અતિક્રામી તેને જ ખૂબી બનાવી પ્રેક્ષકોનાં દિલ જીતી લીધા હતાં. રાસોત્સવ પછી દિવ્યાંગ ખેલૈયાઓનાં નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, મહેશ્વરી ટ્રેડિંગ કંપનીના ઓમ પ્રકાશભાઈ માહેશ્વરી, વારોતરીયા પરિવારના મોહિત વારોતારીયા અને પાર્થવારોતરિયા સહિતના મહાનુભાવોનાં હસ્તે દિવ્યાંગ ખેલૈયાઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આમ દિવ્યાંગ રાસોત્સવ વડે દિવ્યાંગોનાં સંઘર્ષમય જીવનની એક સાંજ સંસ્કૃતિ અને સંવેદનાનાં સમન્વયથી સાર્થક કરવામાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સરદારભાઈ દરજાદા અને તેઓની સમગ્ર ટીમ, સહિયર નવરાત્રિએ પ્રેરક ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલકાબેન નથવાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial