Advertisement
Author: નોબત સમાચાર

ઓખા બીચમાં મનોરંજનના સાધનો તૂટેલી હાલતમાં

યાત્રાળુઓમાં જોવા મળતી નારાજગી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: ઓખો જગથી નોખો જે કહેવત વર્ષોથી સાંભળવામાં આવે છે. અહિં બીચ પર મનોરંજક સાધનોની સુવિધા છે, પરંતુ તે તદ્ન બિન ઉપયોગી હાલતમાં છે, તેમાં તંત્ર ધ્યાન આપતું નથી.

બીચ પર સફાઈનો બિલકુલ અભાવ જોવા મળે છે. બાળકોના મનોરંજન માટેના સાધનો તૂટી ગયેલ હાલતમાં છે. અહિં મંજુરી વગર માછીમારી પણ કરવામાં આવે છે.

ઓખામંડળના બેટ-દ્વારકામાં લાંબા સમય પહેલા ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આજે પણ તેનો કાટમાળ યથાવત્ રાખવામાં આવ્યો છે. હનુમાનદાંડી તરફનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે.

હાલ નાતાલના મીની વેકશનના કારણે પ્રવાસીઓની ભીડ રહે છે, પરંતુ સુવિધાના અભાવે યાત્રાળુઓમાં નારાજગી જોવા મળે છે. દ્વારકા નજીકના નાગેશ્વર મંદિરમાં ત્રણ નંબરના દરવાજેથી વીઆઈપી દર્શનનો વેપલો ચાલે છે, પરંતુ ફરજ પરના સેવકો અને જવાનો કોઈ યોગ્ય પગલાં લેતા નથી. તેઓ પણ વીઆઈપી દર્શનની રોકડીમાં વ્યસ્ત હોય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh