Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી આશાપુરા (કચ્છ) પદયાત્રી સંઘનું માતાના મઢ પગપાળા જવા પ્રસ્થાન

સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

શ્રી આશાપુરા પદયાત્રી સંઘ (રાજપૂત) જામનગર દ્વારા ર૯ મા વર્ષે જામનગરના નાના આશાપુરા મંદિરથી કચ્છમાં બિરાજમાન દેશદેવીમાં આશાપુરાજી (માતાના મઢ) પગપાળા જવા વિશાળ સંખ્યામાં પદયાત્રીઓએ ગઈકાલે સંઘ પ્રમુખ પ્રવિણસિંહ નટુભા જાડેજાની આગેવાનીમાં પ્રસ્થાન કર્યુ હતું. આ પ્રસંગે પદયાત્રીઓને વિદાય આપવા સહકારી અગ્રણી પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી અને જામનગર રાજપૂત સમાજના ટ્રસ્ટી પ્રવિણસિંહ જાડેજા (સેવક ધુણિયા), વિજયસિંહ ચૌહાણ, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઈ), સમાજના અગ્રણી રણજીતસિંહ જાડેજા, ગગુભા જાડેજા, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ કાંતુભા જાડેજા તથા જામનગર રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજા (રાજપૂત શક્તિ) એ કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh