Advertisement
Author: નોબત સમાચાર

સિંધી સમાજ દ્વારા શહેનશાહી મેલાનું આયોજન

જામનગરમાં ચાલીહા મહોત્સવ અંતર્ગત આજે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર સિંધી સમાજમાં હાલ પાવનકારી પવિત્ર ૪૦ દિવસીય સાધના તપસ્યાના ચાલીહા મહોત્સવ ચાલી રહેલ છે, જેમાં સિંધી સમાજના નેજા હેઠળ સંત કંવરરામ મંદિર ચાલિયા સાહેબ સેવા સમિતિ અને એસએસડબલ્યુ સાંઈ પરિવાર જામનગર દ્વારા ૧૬ જુલાઈથી રપ ઓગસ્ટ સુધી ૪૦ દિવસના પાવનકારી ભગવાન શ્રી ઝુલેલાલજીના ચાલીસાની ઉજવણી દરરોજ જુદા જુદા ભક્તોના ઘરે આનંદ ઉલ્લાસથી ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે જે અંતર્ગત તા. ૮-૮-ર૦રપ, શુક્રવારના સિંધી સમાજના ધર્મગુરુ ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલના પરમ ઉપાસક સંત શ્રી સાંઈ શહેરાવારાજીના સાંનિધ્યમાં શહેનશાહ મેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સાંજે ૭ કલાકે શહેરના નાનકપુર સિંધી કોલોનીથી ધર્મગુરુ શહેરાવાળા સાંઈજીની પધરામણીના વધામણા સાથે વાજતે ગાજતે ડી.જે. સાઉન્ડ સાથે કાર્યક્રમ સ્થળ પવનચક્કી સર્કલ પાસે આવેલ વેજુમાં સ્મૃતિ હોલ વાડી સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વેજુમાં સ્મૃતિ હોલમાં રાત્રે ૮ કલાકે સંત શ્રી શહેરાવારા સાંઈજીના સાંનિધ્યમાં તેમના મુખારવિંદે દિવ્ય સત્સંગ ભજન ભાવનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૯ કલાકે ભંડારા પ્રસાદનું આયોજન કરાયું છે. સિંધી ભજન, પંજડા, સિંધી છેજ સહિત સિંધી પરંપરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સમગ્ર ધર્મપ્રેમીઓને લાભ લેવા સંત કંવરરામ મંદિર ચાલીહા સાહેબ સેવા સમિતિ અને એસ.એસ.ડબલ્યુ. સાંઈ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh