Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફ્લેટ ખરીદ્યા પછી વેચનારના પુત્રએ કબજો નહીં સોંપતા લેન્ડ ગ્રેબિંગની રાવ

પાંચ વર્ષ પહેલાં બનાવી અપાયો હતો દસ્તાવેજઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસે મંગલ બાગ સોસાયટીમાં રાજકોટના એક આસામીએ પાંચ વર્ષ પહેલાં ફલેટ ખરીદ્યા પછી દસ્તાવેજ બનાવ્યો હતો. ફલેટ વેચનાર આસામીના પુત્રએ તે ફલેટનો કબજો નહીં આપતા ખરીદનારે પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

જામનગરના ગુરૂદ્વારા સર્કલ નજીક આવેલા મંગલ બાગની શેરી નં.રમાં શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ૪૦૨ નંબરના ફલેટનો સોદો રાજકોટના અયોધ્યા ચોકમાં વસવાટ કરતા ખોડુભાઈ ભગવાનજી બરબસીયાએ વર્ષ ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનામાં કર્યાે હતો.

આ ફલેટ તેજાભાઈ દેવાભાઈ માખેલા પાસેથી તેઓએ રૂ.૧૫ લાખમાં ખરીદ્યા પછી તેના દસ્તાવેજ બનાવાયા હતા. તે પછી આ ફલેટનો કબજો તેજાભાઈના પુત્ર મુકેશભાઈ પાસે હતો. તે ફલેટની કિંમત ચૂકવાઈ ગઈ હોવા છતાં અને દસ્તાવેજ પણ બની ગયો હોવા છતાં ઉપરોકત ફલેટનો કબજો મુકેશભાઈએ ન સોંપતા ખોડુભાઈએ પોતાની મિલકત આ શખ્સે પચાવી પાડ્યાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh