Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગર પાસે આવેલી જગ્યાનો હિસ્સો સોંપવા તથા માર્ગ કાઢી આપવા કોર્ટનો આદેશ

ત્યાં આવેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવા પણ હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના ગોકુલનગર પાસે પાણાખાણમાં આવેલી એક જગ્યામાંથી પોતાનો વગર વહેચાયેલો હિસ્સો કાઢી આપવા એક આસામીએ અદાલતનો આશરો લીધા પછી તે જગ્યાનો કબજો સોંપવા, ગેરકાયદે બાંધકામ તોડી અલગ માર્ગ કાઢી આપવા અદાલતે હુકમ કર્યાે છે.

જામનગરના ગોકુલનગર પાસે પાણાખાણમાં આવેલી ખેતીની જમીનમાં અલારખા હાજી શેખ નામના આસામીએ પોતાનો વહેચાયેલા વગરનો હિસ્સો હોવાનું જાહેર કરવા તથા કબજો મેળવવા અદાલતમાં દાવો કર્યાે હતો.

તે દાવામાં વાદીના લાભમાં હુકમ કરવામાં આવ્યો હતો. તેની અમલવારી માટે હુકમનામુ મોકલાતા આ જમીનમાં પરવાનગી વગર બાંધકામ થયાનું તેમજ કેટલાક વ્યક્તિઓ કબજેદાર હોવાનું જણાવાયું હતું. તે દરમિયાન પ્રતિવાદી પક્ષે જિલ્લા અદાલતમાં સિવિલ અપીલ નોંધાવી હતી.

તે અપીલ અદાલતે રદ્દ કરી પ્રાથમિક હુકમનામુ કાયમ કર્યું છે અને કેસનંુ આખરી હુકમનામુ કરવા ટ્રાયલ કોર્ટને રેકર્ડ મોકલી આપ્યું હતું. ટ્રાયલ કોર્ટે આખરી હુકમનામુ કરી વાદીને તેના હિસ્સાનો કબજો સોંપી આપવા અને ગેરકાયદે બાંધકામ તોડી દાવાવાળી જગ્યામાં આવવા-જવાનો અલગ માર્ગ કાઢી આપવા હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ યુસુફ ખુરેશી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh