Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, પૂર્વમંત્રી, ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧: શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જાંબુડા ગામે કાર્યરત ગૌશાળાનાં લાભાર્થે કારતક પૂર્ણિમા પર તા.૫/૧૧/૨૦૨૫ નાં દ્વારકેશ મેરેજ હોલ એન્ડ પાર્ટી પ્લોટ, યોગેશ્વરધામ સોસાયટી, મહાદેવ મંદિર પાસે, હાપા રેલવે સ્ટેશન રોડ (હાપા) માં તુલસી વિવાહ તથા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અંતર્ગત ૧૦ દીકરીનાં વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.
સહયોગી સંસ્થા ગુજરાત બ્રહ્મસમાજનાં પ્રમુખ મનોજભાઇ જોષી (એડવોકેટ) તથા સાંઇકૃપા સખી મંડળ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ સરોજબેન તરફથી સહયોગ સાંપડ્યો છે તેમજ સમૂહ લગ્ન તથા તુલસી વિવાહનાં મુખ્ય દાતા તથા કન્યાદાનનાં યજમાન તરીકે ગંભીરસિંહ દિલીપસિંહ સોઢા, નેહલબા ગંભીરસિંહ સોઢા તથા વંશરાજ ગંભીરસિંહ સોઢા તરફથી સેવા પ્રાપ્ત થઈ છે. તુલસીજીનાં કન્યાદાનનાં માતા - પિતા તરીકે ભરતભાઇ નંદા પરિવાર પુણ્યલાભ પ્રાપ્ત કરશે. આ તકે સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી રાઘવજીભાઈ ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી તથા જામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
મહોત્સવનાં આગલા દિને તા. ૪/૧૧ નાં સાંજે ૫ કલાકે મંડપ મુહૂર્ત, રાત્રે ૯ કલાકે દાંડીયા રાસ યોજાશે. તથા રાત્રે ખ્યાતનામ કલાકારો દ્વારા શ્રી કૃષ્ણનાં લગ્ન ગીત પણ પ્રસ્તુત કરવામાં આવશે. તેમજ તા. ૫/૧૧ નાં સવારે ૮ કલાકે જાન આગમન, સવારે ૧૦ કલાકે લગ્ન વિધિ તથા બપોરે ૧૨ કલાકે ભોજન સમારંભ યોજાશે.
ગૌશાળાનાં લાભાર્થે આયોજીત સામાજિક સેવા યજ્ઞમાં આર્થિક સહયોગ કરવા દાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટનાં પ્રમુખ ચંદુભાઈ એન. રાજ્યગુરૂ મો. (૯૭૧૨૫ ૭૪૭૭૨) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial