Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬ઃ ઓખાના સુદર્શન બ્રિજ પર બે જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી થવા પામી હતી. આ બનાવ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઓખામાં રહેતા હસમુખભાઈ મહેન્દ્રભાઈ ઝાખરીયા નામનો ર૮ વર્ષનો યુવાન તા.૧૧ના રાત્રિના પોણા બારેક વાગ્યે સુદર્શન બ્રિજ પર બેઠો હતો ત્યારે ઓખાની ગાંધીનગરીમાં રહેતા સદામ અલીભાઈ ચાવડા અને રીયાઝ સાલેમામદભાઈ ચૌહાણ તેની પાસે આવ્યા હતા અને સદામે તેમને ગાળો ભાંડી હતી. આ પછી ઝઘડો વકરતા તેને ઢીકાપાટુનો માર માર્યાે હતો તથા મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હસમુખ જાખરીયાએ બંને સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે સદામ અલીભાઈ ચાવડાએ પોતાને છૂટા હાથે મુંઢ માર મારી ઈજા પહોંચાડવા અંગે અને જાનથી મારી નાખવા અંગે હસમુખ મહેન્દ્રભાઈ ઝાખરીયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને જૂથની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial