Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એબીવીપીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન

ઓડીસાની ઘટના અન્વયે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ઓડીસામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરે કોલેજના વિભાગીય વડાની હેરાનગતિથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મુદ્દે જામનગરમાં ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુેં હતું ઓડીશાના બાલેશ્વરમાં એ.બી.વી.પી.ના કાર્યકર સૌમ્ય શ્રી બિશી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. તેમણે પોતાની કોલેજમાં વિભાગીય વડાની હેરાનગતિથી કંટાળી જઈ આ અંતિમ પગલું ભર્યું હતું. આથી જામનગરમાં ગઈકાલે લાલબંગલા સર્કલમાં એ.બી.વી.પી.ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું  હતું. અને આક્રોશ વ્યક્ત કરી જવાબદારો સામે પગલા લેવા માંગ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh