Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડેશ્વર શ્રમજીવી મંડળ દ્વારા
જામનગર તા. ૧: રાજકોટ-ઓખા વચ્ચે દિવસ દરમિયાન ૧ર-૧૩ કલાકમાં કોઈ લોકલ ટ્રેનની સુવિધા નથી. આથી જામનગરના બેડેશ્વર શ્રમજીવી મંડળના પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ રાજકોટના ડીઆરએમને આવેદનપત્ર પાઠવી રાજકોટ-ઓખા-રાજકોટ લોકલ ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે હાલ આ રૂટ પર દિવસ દરમિયાન ૧ર-૧૩ કલાક સુધી કોઈ લોકલ ટ્રેન મળતી નથી. આ રૂટ પર રાજકોટથી પડધરી, હડમતિયા, જાલિયા દેવાણી, જામવણંથલી, અલિયાબાડા, હાપા, જામનગર, લાખાબાવળ, પીપળી, કાનાલૂસ, મોડપુર, ખંભાળિયા, ભાતેલ, ભોપાલકા, ભાટિયા, કુરંગા, ઓખામઢી, ગોરીંજા, દ્વારકા, વરવાળા, ભીમપરા, મીઠાપુર, ઓખાના સ્ટેશનો તેમજ આસપાસના ગામના લોકોને લાભ મળી શકે તેમ છે.
આ નાના-મોટા ગામોના લોકોને, શ્રમજીવી વર્ગ, ગરીબોને તથા બીમાર લોકોને આવવા-જવા માટે આ લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે તો ખૂબ જ સુચારૂ સુવિધા અને અનુકૂળતા મળી રહેશે. આ લોકલ ટ્રેન વ્હેલીતકે શરૂ કરવા માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial