Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની એક ખાનગી બેંકની કામગીરીથી અસંતોષઃ
જામનગર તા. ૧૫: જામનગરની એક ખાનગી બેંકમાં ગ્રાહકોને બેંકની કામગીરીથી અસંતોષ થયો હતો. આથી દરરોજ બેંકના ધક્કા ખાવા ન પડે તે હેતુથી આ ગ્રાહકે ચાદર-ઓશીકુ લઈને બેંકમાં જ મુકામ કરી લેતા દોડધામ મચી જવા પામી હતી.
જામનગરની આઈડીબીઆઈ બેંકમાંથી જેશાભાઈએ બે હોમ લોન લીધી હતી પરંતુ આ લોન તેમને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવી હતી. આથી ગત તા.૨૯-૦૬-૨૫ના તેમણે બેંકને અરજી કરી હતી અને જરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. આ પછી પંદર દિવસ સુધી દરરોજ બેંકના ધક્કા ખાવા છતાં તેમને ડોક્યુમેન્ટ આપવામાં બેંકની રાજકોટ સ્થિત શાખાએ બખાડા કર્યા હતાં.
આથી થાકી ગયેલા જેશાભાઈએ દરરોજ ધક્કા ખાવા પડે નહીં તે હેતુથી બેંકને જ ઘર બનાવવા નિર્ણય લીધો હતો. ગઈકાલે તેઓ ઘેરથી ઓશીકુ અને ચાદર લઈને આવ્યા હતાં અને બેંકના સોફા પર સૂઈ ગયા હતાં.
આ પછી બેંકના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
જો કે તુરંત જ બેંક મેનેજરે રાજકોટની બેંક શાખાને તાબડતોબ રજુઆત કરી હતી અને સત્વરે કામગીરીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial