Advertisement
Author: નોબત સમાચાર

રંગમતી નદીમાં ભૂસકો મારી લઈ મહિલાએ કરી લીધી આત્મહત્યા

ભાઈના અવસાન પછી ખોટા વિચારો આવતા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા એક પરિણીતા રવિવારે સવારે પોતાના ઘરેથી નીકળી ગયા પછી કાલાવડ નાકા બહાર વહેતી રંગમતી નદી પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નદીમાં ભૂસકો મારી લઈ જિંદગીનો અંત આણ્યો છે. આ મહિલાના ભાઈના એકાદ વર્ષ પહેલાં થયેલા અવસાન પછી આઘાત પામેલા આ મહિલાએ આત્મહત્યા કરી લીધાનું પ્રાથમિક તારણ મળ્યું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્કની શેરી નં.૯માં રહેતા અને બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈ લવજીભાઈ કોઠીયા નામના પટેલ આસામીના પત્ની રમીલાબેન (ઉ.વ.૪પ) રવિવારે સવારે પોતાના ઘરેથી નીકળી ગયા હતા.

આ મહિલા કાલાવડ નાકા બહાર આવેલી રંગમતી નદી પાસે પહોંચ્યા પછી તેઓએ નદીના પાણીમાં ભૂસકો માર્યાે હતો. ત્યાં હાજર લોકોએ આ મહિલાને બહાર કાઢવાના પ્રયત્ન શરૃ કર્યા પછી તેઓને બહાર કાઢી સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા સિટી એ ડિવિઝનની ટીમ દોડી આવી હતી.

પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી પતિ હરેશભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રમીલાબેનના ભાઈનું એકાદ વર્ષ પહેલાં અવસાન થયું હતું તેનો આઘાત લાગ્યા પછી રમીલાબેનને અવારનવાર ખોટા વિચારો આવતા હતા. તે દરમિયાન રવિવારે પોતાના ઘરેથી આ મહિલા નીકળી ગયા પછી રંગમતી નદીમાં તેઓએ ભૂસકો મારી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh