Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલ પોલિસીની અમલવારીના અનુસંધાને
જામનગર તા. રરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કેટલ પોલિસીનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે, અને શહેરના અલગ અલગ વિસ્તારમાં કેટલાક ઘાસચારાના વિક્રેતાઓ હજુ પણ ગેરકાયદે રીતે શહેરી વિસ્તારમાં ઘાસચારાનું જાહેરમાં વેંચાણ કરી રહ્યા હોવાથી તેઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે.
જેના ભાગરૃપે શહેરના અલગ અલગ સાત જેટલા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટૂકડી દોડતી થઈ હતી. એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરી હેઠળ રાજભા જાડેજા ઉપરાંત દીપક પટેલ, ઉર્વશી મકવાણા, રમેશ બાબરિયા, અશોક પ્રજાપતિ સહિત અલગ અલગ ટીમો દ્વારા શહેરના શંકર ટેકરી વિસ્તાર, ૮૦ ફૂટ રીંગ રોડ, કાલાવડ નાકા બહારનો એરિયા, હરિયા કોલેજ રોડ, દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી, નવાગામ (ઘેડ), ઈન્દિરા માર્ગ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી પ,૯ર૦ કિલો ઘાસ જપ્ત કરી લેવામાં આવ્યું છે, અને મહાનગરપાલિકા સંચાલિત જુદા જુદા ત્રણ ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે. કાર્યવાહી અવિરત ચાલુ રખાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial