Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં ઓકટોબર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને કલેકટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ સરકારી વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં માર્ગના કામો, સિંચાઈ વિભાગ, પી.જી.વી.સી.એલ., ખેતીવાડી, શિક્ષણ વિભાગ, મકાન વિભાગ (પંચાયત), વાસ્મો, બસના રૂટ નિયમિત કરવા અંગે અને જમીન માપણી અંગેના પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરે સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે પડતર કામો અને રજૂઆતોનેો સકારાત્મક દિશામાં અને સમયમર્યાદામાં ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, મરીન વિભાગના નાયબ વન સંરક્ષક સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh