Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળ્યા પછી
જામનગર તા. ૨૦: ગુજરાત રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન પામેલા શહેરના ધારાસભ્ય રિવાબા જાડેજા મંત્રીપદ સંભાળ્યા પછી પ્રથમ વખત જામનગર આવી પહોંચ્યા ત્યારે અદકેરૃં સ્વાગત કરાયું હતું.
ગુજરાત રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન પામેલા જામનગર ૭૮-ઉત્તર વિધાનસભા વિસ્તારના રિવાબા જાડેજા કે જેઓએ ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી રાજ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી તેઓ પ્રથમ વખત જામનગર આવી પહોંચ્યા હતાં ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રાજપૂત સમૂહ લગ્ન સમિતિના તમામ હોદ્દેદારો અને રાજપૂત સમાજના વિશાળ કાર્યકરો, જામનગર શહેર ભાજપના સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો, અન્ય કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાનું ભવ્ય આતશબાજી અને ઢોલ નગરાના તાલ સાથે સ્વાગત કરાયું હતું. પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી હતી.
રિવાબા જાડેજાએ પણ શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓ તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ વિગેરેનો આધાર વ્યક્ત કરી પ્રતિભાવ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial