Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા-જામનગર રોડ પર ખાનગી કંપનીએ કરેલા દબાણ સહિત
ખંભાળિયા તા. ૧૫: જામનગર રોડ પર આવેલી આર.એચ.આઈ. કંપની દ્વારા કરાયેલા દબાણ સહિત ખંભાળિયાના મામલતદાર દ્વારા ત્રણ સ્થળે ડિમોલીશનની કામગીરી કરાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ખંભાળિયા મામલતદાર વિક્રમ વરૂ દ્વારા ખંભાળિયાના ત્રણ વિસ્તારોમાં ડિમોલીશનની કામગીરી કરીને લાખો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખંભાળિયા જામનગર રોડ પર આવેલ અગાઉ દાલમીયા નટરાજ સિરામિકના નામની ખાનગી કંપની કે જે હાલ આર.એચ.આઈ. મેગ્નેસીટા ઈન્ડિયા રિફ્રેકટીરીઝ લિમિટેડના નામથી ચાલે છે. તેની ૧૩૦૦ મીટર જેવડી વિશાળ કંપાઉન્ડ વોલ કે જે જામનગર હાઈવેની તદ્દન નજીક દબાણ કરેલી હતી તે તોડી પાડીને લાખો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
ખંભાળિયાની સરકારી હોસ્પિટલની પાસે તથા સલાયા રોડ વિસ્તારમાં રસ્તા પર અડચણ તથા ગેરકાયદેસર સરકારી જમીનો પર ઉભી કરાયેલ ૧૩ જેટલી કેબીનોના દબાણો પણ હટાવાયા હતાં.
ખંભાળિયામાં સલાયા રોડ અંડર બ્રિજ પાસે કચોટીયા વાડીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરનો અડધો ભાગ પણ તોડી નંખાયો હતો.
ખંભાળિયા મામલતદાર તંત્ર દ્વારા દાતાઓના સહયોગથી ઉભું કરાયેલ ખોડીયાર મંદિરની નાનકડી ડેરી તોડી પાડવા સામે સ્થાનિકોમાં વિરોધનો સૂર ઉઠયો હતો. રસ્તાને નડતર ના હોય તેવી આ પચાસેક ફૂટ જગ્યા પર ડિમોલીશન ના કરવા માંગ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial