Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આકાશદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરમાં
જામનગર તા. ૧૫: જામનગરમાં સ્થિત આકાશદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર-૨૦૨૫ યોજવામાં આવી હતી. દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્યધારામાં સમાવેશ કરાવવાના સરકારના અભિગમને આગળ ધપાવવા દિવ્યાંગ કલ્યાણકારી વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા માટેની આ શિબિર જી.એસ.એફ.સી.ના નિવૃત્ત ડેપ્યુટી પોર્ટ સિક્યોરીટી ફેસેલીટી ઓફિસર મુકેશભાઈ મકવાણાના પ્રમુખસ્થાને યોજાઈ હતી.
જેમાં મુખ્ય મહેમાન તરીકે દિવ્યાંગ મહિલા અધિકારી સમિતિ-જામનગરના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે, મનોદિવ્યાંગ વાલી કાર્યકર પુષ્પાબેન વોરા તેમજ ૫૦ થી વધુ દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશભાઈ મકવાણાએ દિવ્યાંગોના અધિકારોના રક્ષણ માટેની વિવિધ ધારાઓ અને કાનૂની જોગવાઈઓ અંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમજ સ્પે. ખેલ મહાકુંભ-૩.૦ માં વિજેતા બનનારા ૧૬ રમતવીરોને તા. ૧૬-૭ ના રોજ સન્માનીત કરવાની જાહેરાત કરી હતી. યા અલી સોશ્યલ ફાઉન્ડેશન-જામનગરના પ્રમુખ નજીરભાઈ બ્લોચ સહિતના હોદૃેદારોએ મહોર્રમ શરીફ નિમિત્તે આઈસ્ક્રીમ ખવડાવી હતી.આ શિબિરને સફળ બનાવવા માટે પેરા સ્પોર્ટસ કલબ એસો. ના પ્રમુખ બીપીનભાઈ અમૃતિયા, રીયાબેન ચિતારા, વિજયભાઈ વોરા, શિતલબેન વડગામા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial