Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાની હત્યાના કેસમાં એક આરોપીની વચગાળાના જામીનની અરજી ફગાવતી કોર્ટ

ચાર વર્ષ પહેલાં એક વ્યક્તિની થઈ હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જોડિયા પંથકમાં ચાર વર્ષ પહેલાં થયેલી એક હત્યાના નોંધાયેલા ગુન્હામાં  બે વર્ષ સુધી નાસતા ફરતા રહેલા આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ પુત્રની ધાર્મિકવિધિ માટે પાંચ દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. અદાલતે તે માગણી નકારી કાઢી છે.

જોડિયા પંથકમાં વર્ષ ૨૦૨૧માં કાંતિલાલ નામના વ્યક્તિ પર ધારીયાથી હુમલો કરવા ઉપરાંત તેઓને ગોળી મારી દઈ હત્યા કરી નાખવામાં આવી હોવાની ફરિયાદ નિલેશ કરશનભાઈ માલવીયાએ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે પૂર્વયોજીત કાવતરૂ, હત્યા, મદદગારી તેમજ હથિયારધારા ભંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યા પછી અયુબ જુસબ જસરાયા નામના શખ્સની પણ ધરપકડ કરી હતી.

આરોપીઓને જેલહવાલે કરાયા પછી આરોપી પૈકીના અયુબ જુસબે પોતાના બાળકની એક ધાર્મિકવિધિ કરવાની છે તેમાં જવા માટે પાંચ દિવસના વચગાળાના જામીન મેળવવા અદાલતમાં અરજી કરી હતી.

તે અરજી સામે સરકાર તરફથી હાજર થયેલા પીપી રાજેશ વશીયરે દલીલ કરી હતી કે, આ આરોપી બે વર્ષ સુધી નાસતો ફરતો રહ્યો હતો અને આરોપી તથા ફરિયાદી એક જ ગામના વતની છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તેવી શક્યતા છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની વચગાળાની જામીન અરજી નકારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh