Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ભાટીયામાં ગૌચરની જમીન પરનો રસ્તો બંધ કરાતા કરાઈ રજૂઆત

ગાયોને પાણી પીવડાવવા લઈ જવામાં થાય છે મુશ્કેલીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: કલ્યાણપુરના ભાટીયામાં સર્વે નં.૯૦૭વાળી ગૌચરની જમીન પર રસ્તો બંધ કરી દેવામાં આવતા ગાયોને પાણી પીવડાવવા લઈ જવામાં પડી રહેલી મુશ્કેલી અંગે રજૂઆત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં વસવાટ કરતા લખમણભાઈ રણછોડભાઈ રાઠોડ નામના આસામીએ મામલતદાર અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી જણાવ્યું છે કે, ભાટીયાના સર્વે નં.૯૦૭માં આવેલી ગૌચરની જમીન પરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

આ જગ્યા પર માથાભારે વ્યક્તિઓએ ખાણધરધારના પીછાથી થઈ ખારાવાડી, ફૂલ વાડી તળાવની બાજુમાં ગાયના પસાર થતાં ઘણનો રસ્તો બંધ કરી દીધો છે. તેથી ગાયોને ત્યાં પાણી પીવડાવવા લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. આ જગ્યા ખૂલી કરાવવા માગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh