Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં આવેલા
જામનગર તા. ૧૫: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રકકા ગામની સરકારી જમીનમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. આથી ગૌચરની સુવિધા ઝુંટવાઈ છે. આ બાબતે ગામના માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટર, ભૂસ્તરશાસ્ત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે. લાલપુર તાલુકાના રકકા ગામમાં છેલ્લા ચાર વર્ષની ભૂમાફીયાઓ દ્વારા સરકારી ખરાબાની જમીન તથા ગૌચરની જમીનમાંથી ગેરકાયદે ખોદકામ કરીને સફેદ પથ્થર કાઢવામાં આવી રહ્યા છે. પરિણામે ગૌચરની જમીન રહેવા પામી નથી. પરિણામે માલઢોર ખાડામાં પડી જાય છે અથવા તો કયારેક મૃત્યુ પામે છે. જે રજુઆત કરવા જાઈએ તો ભૂમાફીયાઓ દ્વારા માલધારીઓને ધમકી આપવામાં આવે છે. આથી તાત્કાલીક ધોરણે આ પ્રવૃત્તિ અટકાવવી જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial