Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય-૩, એરફોર્સ-૨માં
જામનગર તા. ૧૫: તા. ૦૬-૦૧-૨૦૨૬ના પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર ૩, એરફોર્સ-૨, જામનગરમાં ભવ્ય વિદ્યાલય સ્થાપના દિવસ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવળો યોજાયો હતો. શાળાના મહેમાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત વિદ્યાલયના એન.સી.સી. અને સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં વ્વ્યું હતું. તેમજ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું તિલક વડે સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાની પ્રાર્થનાસભામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જામનગરના રેલવે સ્ટેશનના સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ હરિનાથ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ શેખાવતે તમામ મહેમાનો, નિવૃત્ત કર્મચારીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. નિવૃત્ત શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના અનુભવો શેર કર્યા હતા અને વર્તમાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓએ સંસ્થામાં તેમના સમયની યાદો તાજી કરી હતી. અને વર્તમાન વિદ્યાર્થીઓને તેમના અનુભવોમાંથી શીખવા માટે પ્રેરણા આપી હતી. તમામ મુલાકાતીઓને શાળા પરિવાર તરફથી સ્મૃતિચિન્હો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શાળામાં મનોરંજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના મુખ્ય શિક્ષિકા સંતોષ રાનીએ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મુખ્ય અતિથિ અને કાર્યક્રમના સફળ આયોજનમાં યોગદાન આપનારા તમામનો આભાર માન્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો સફળ રહ્યો અને તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક મંચ પર ભેગા કર્યા. આયોજકોને આશા છે કે આવા કાર્યક્રમ ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓ સંસ્થાના વિકાસમાં યોગદાન આપતા રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial