Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલના અધિક્ષકને પત્ર પાઠવી
જામનગર તા. ૧૯: જામનગર તાલુકાના સચાણા ગામના ખેડૂત ખાતેદારો દ્વારા ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા અરજી કરવામાં આવી છે. પરંતુ તેમને વીજ જોડાણો આપવામાં આવતા નથી.
સચાણા ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલ જામનગર કચેરીના અધિક્ષકને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, નવા વીજ જોડાણો આપવામાં બેદરકારી દાખવવામાં આવે છે.
વિશેષમાં શકરપીરની દરગાહ પરથી મોટાપીરની ધાર સુધીના વિસ્તારમાં વીજ વાયરો ક્ષતિગ્રસ્ત છે. અવારનવાર તૂટી જાય છે. જેનાથી ક્યારેક જાનહાની થવાની શક્યતા છે.
ઉપરાંત અન્ય પણ કેટલાક વિસ્તારોમાં પણ વીજ વાયરો ક્ષતિગ્રસ્ત છે. જેને બદલાવવાની જરૂરિયાત છે. તળાવફળીમાં ટીસી બદલવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial