Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ શરૂ કરવા તંત્રની કવાયત

કોસ્ટલ ટુરીઝમ હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: ઓખા-દ્વારકા-જામનગર વરસે ક્રુઝ સર્કિટ શરૂ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. ખાસ કરીને ધાર્મિક, સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થળોને આવરી લઈને ત્રણ કલસ્ટરમાં વહેંચવામાં આવ્યા છે.

હજીરા-ઘોઘા વચ્ચે પાંચેક વર્ષથી રો-રો ફેરી સર્વિસ ચાલી રહી છે. હવે કોસ્ટલ ટુરીઝમની વિચારણા વહેતી કરવામાં આવી છે.

જેમાં પડાલ ટાપુ-કચ્છનું રણ, પોરબંદર-વેરાવળ-દિવ અને ઓખા-દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

ક્રુઝ ભારત મિશન માટે ક્રુઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તાજેતરમાં વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દરેક કલસ્ટર, પ્રવાસનને ધ્યાનમાં રાખીને આયોજીત કરવામાં આવ્યું છે. કલસ્ટરના ૧૦૦ કિ.મી. અંદર મુખ્ય ધાર્મિક, નૌસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેથી ક્રુઝ મુસાફરને વધુ આકર્ષણ અને મનોરંજન મળી રહે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ વર્ષે ક્રુઝ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય આગામી દાયકામાં ભારતને વિશ્વ સ્તરનું ક્રુઝ પર્યટન કેન્દ્ર બનાવવાનો છે, અને વર્ષ ર૦ર૯ માં દરિયાઈ ક્રુઝ પ્રવાસનને ૧૦ ગણું વધારવાનો છે.

દેશમાં મુંબઈ-કોચીન-ચેન્નઈ વગેરેએ સારી પ્રગતિ અને વિકાસ કર્યા છે, પરંતુ વિશાળ સાગર કિનારો ધરાવતા ગુજરાત આ મામલે ઘણું પાછળ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh