Advertisement
Author: નોબત સમાચાર

હાલની યુદ્ધની સંભવિત સ્થિતિમાં રાજ્ય પ્રાથમિક શિક્ષકોનો સક્રિય ભાગીદારીનો સંકલ્પ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોનું સંગઠન છે જેમાં અંદાજીત ૨,૦૦,૦૦૦ (બે લાખ) જેટલા શિક્ષકો કાર્યરત છે. આ શિક્ષકો રાજ્યના ૪૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર સાથે સીધા જોડાયેલા છે.

આપણા પાડોશી દેશમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હૂમલાઓ જેમાં આપણાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, આ સમગ્ર બાબતે રાષ્ટ્રને દુઃખ પહોંચાડયું છે. આતંકવાદી હૂમલા પાછળ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી મશીનરીની મુખ્ય ભૂમિકા સ્પષ્ટ છે. એવા સમયે જયારે દેશ તેની સાર્વભૌમત્વ અને સુરક્ષાના રક્ષણ માટે નિર્ણાયક પગલાં લઈ રહ્યો છે ત્યારે ગુ.રા.પ્રા.શિ.સંઘ વતી, ભારત સરકારની રાજદ્વારી અને વ્યુહાત્મક પહેલને સંપૂર્ણ સમર્થન આપવામાં આવે છે.

શિક્ષક સમુદાય માહિતી પ્રસાર, આપત્તિ વ્યવસ્થાપન તાલીમ, નાગરિક સહાય કેન્દ્રો કે અન્ય કોઈપણ વ્યુહાત્મક સંકલનમાં કેવી રીતે ભૂમિકા ભજવી શકે તે અંગે મુખ્યમંત્રી કાર્યાલય, સંરક્ષણ મંત્રાલય અથવા ગૃહ મંત્રાલયે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરે જેથી શિક્ષક સમુદાય પોતાની ભૂમિકા અદા કરી શકે. આ સૂચના પ્રસારણ હોય, આપદા પ્રબંધન, પ્રશિક્ષણ હોય, નાગરિક સહાયતા કેન્દ્ર હોય કે અન્ય કોઈ રણનીતિ સંબંધી એ વાતની જાણકારી અવશ્ય હોવી જોઈએ જેનાથી માનિસક, શારીરિક અને સંગઠનાત્મક રીતે પોતાને તૈયાર કરી શકે. આ શિક્ષકોની ગૌરવ અને દેશભક્તિની જવાબદારી હશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh