Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાણ ખનિજ વિભાગ દ્વારા
જામનગર તા. ૧૫: જામનગર જિલ્લામાં ગરીબ ખેડૂતો સાથે માફીયા જેવો ત્રાસ ખાણ-ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરી આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આ પ્રકારનો ત્રાસ બંધ કરવા રજૂઆત કરી છે.
અત્યારે જામનગર જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં જમીન સુધારવા માટે તળાવો કે ખેતરમાંથી માટી કે મોરમ ખોદીને ભરવા માટે પરિવહન કરતા હોય ત્યારે જામનગર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ખનિજ ચોરોને પકડવાને બદલે ખેડૂતો પર સીંઘમની જેમ ત્રાટકી અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે ખેડૂતોના ટ્રેકટરો, જે.સી.બી.મશીનો અને સાથે ખેત મજુરો તથા ખેડૂતો જાણે ખનિજ માફિયાઓ હોય, તે રીતે ઉઠાવી જઈ કાર્યવાહીના નામે લાખો રૂપિયાના ખનિજ ચોરીના મેમો (બીલ) આપી ખેડૂતોને હેરાન તથા પાયમાલ કરવામાં આવે છે તે ખૂબ જ નિંદનીય બાબત છે.
ગુજરાત સરકાર એક બાજુ તળાવો ઊંડા કરી પાણી સંગ્રહ કરવાની માત્ર વાતો કરે છે ત્યારે ખેડૂતો પોતાના સ્વખર્ચે તળાવોમાંથી માટી કે મોરમ ઉપાડીને પોતાની જમીન તો સુધારે જ છે પણ ગ્રામ્ય વિસ્તારોના પાણી સંગ્રહ માટેનું ભગીરથ કાર્ય પણ કરે છે ત્યારે જામનગર ખાણ ખનિજ વિભાગની આ કામગીરી ખેડૂતોને પાયમાલ કરવાનું ષડયંત્ર લાગી રહ્યું છે. બીજી બાજુ ખેડૂતોના મતથી ચૂંટાયેલા ભાજપની સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓ ચુપ બેઠા છે. એક બાજુ ખેડૂતો માવઠાના બેવડા મારથી હેરાન છે, અને બીજી બાજુ સરકારના અધિકારીઓ દ્વારા એપ્રિલ મહિનામાં સુજલામ-સુફલામ યોજના ચાલુ થશે ત્યારે ખેડૂતોને માટી કે મોરમ ઉપાડવા ખેડૂતોને છૂટ હોવી જોઈએે તેવી માંગથી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial