Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના બોડકા ગામના ખેતમજુરની ત્રણ વર્ષની દીકરીનું હૃદયના કાણાંનુ નિઃશુલ્ક સફળ ઓપરેશન

આરબીએસકેની ટીમની જહેમતઃ આયુષમાન કાર્ડની ફલશ્રુતિઃ બાળકીને મળ્યું નવજીવનઃ પરિવાર ખુશ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: સરકાર દ્વારા ચાલતા આયુષમાન કાર્ડ હેઠળ જોડિયા તાલુકાના બોડકા ગામની ૩ વર્ષની બાળકી નેહાનું સીએચડી એટલે કે હ્ય્દયના કાણાની સમગ્ર સર્જરી અને સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી છે.

બોડકા ગામમાં રહેતા અને છૂટક ખેત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા અરવિંદભાઈ સોલંકીને ત્યાં તારીખ ૦૮-૦૮-૨૦૨૨ ના રોજ દીકરી નેહાનો જન્મ થયો હતો, જેનાથી ઘરમાં ખુશીનો માહોલ છવાયો હતો. જોકે, જન્મ સમયે કોઈ બીમારી જણાઈ નહોતી.

બોડકાના આંગણવાડી પર જ્યારે બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, ત્યારે નેહા તબિયત સારી ન હોવાથી આંગણવાડી આવી નહોતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપૂર પ્રસાદ અને જોડિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ કામ કરતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ સતત કાર્યરત હતી. તારીખ ૧૨-૦૩-૨૦૨૫ ના રોજ આરબીએસકે ટીમ, જેમાં ડો. સેજલ કરકર, ડો. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ. બંસી ડાંગર, બોડકાના એફ.એચ.ડબલ્યુ. નીતાબેન પંડ્યા અને આંગણવાડી કાર્યકર મધુબેન પરમારે બાળકની ગૃહ મુલાકાત લીધી.

પ્રાથમિક તપાસમાં બાળકને હ્ય્દયની તકલીફ હોય તેવું જણાતાં, ટીમે તુરંત સંદર્ભ કાર્ડ ભરીને જી.જી. હોસ્પિટલ જામનગર અને ત્યારબાદ આગળની સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં જવા માટે પરિવારને સમજાવ્યું.

પરંતુ પરિવારે અમદાવાદ જવાને બદલે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ સારવાર કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠળના ઓપરેટર નરેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરીને આયુષ્યમાન કાર્ડની પ્રક્રિયા કરી કાર્ડ કાઢવામાં આવ્યું. આયુષમાન કાર્ડ આવ્યા બાદ આરબીએસકે આરોગ્ય ટીમના સંપર્કમાં રહીને પરિવાર રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે આગળની સારવાર માટે ગયું. ત્યાં બાળકની જરૂરી આરોગ્ય તપાસ અને રિપોર્ટ કરતાં તેને હ્ય્દયમાં કાણું હોવાનું નિદાન થયું.

રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે ખૂબ જ કુનેહથી તારીખ ૧૯-૦૫-૨૦૨૫ ના રોજ ઓપરેશન અને જરૂરી સારવાર કરીને ક્ષતિને દૂર કરી. બાળકીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેને દર ૬ મહિને નિયમિત તપાસ માટે કહેવામાં આવ્યું છે. આ બાળક હાલ નોર્મલ જીવન જીવી રહૃાું છે. આરોગ્ય તંત્ર દ્વારા દીકરીની સમગ્ર સારવાર અને હ્ય્દયના કાણાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્યે કરવામાં આવતા તેણીના માતા-પિતા અને સમગ્ર પરિવારે આરોગ્ય તંત્રના આ પ્રયાસોથી ગદગદિત થઈને સર્વ પ્રત્યે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh